મોરબીની માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને કપડાનું વિતરણ કરાયું

- text


સંસ્થા દ્વારા શરદ પૂનમના દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

મોરબી : મોરબી જિલ્લાની સામાજિક સેવાકીય સંસ્થા શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થા દ્વારા શરદ પૂનમની ઊજવણી અનોખી અને યાદગાર રીતે કરવામાં આવી હતી. જેમાં સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

મહત્વનું છે કે, માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થા દ્વારા થોડા દિવસો પૂર્વે પહેરવા લાયક કપડાના દાંન અંગે સોશિયલ મીડિયા મારફતે ટહેલ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને મોરબીના સ્થાનિક સેવાભાવી નાગરિકો દ્વારા જંગી પ્રમાણમાં કપડાં દાન માટે સંસ્થાને આપ્યા હતા. દાનમાં મળેલા આ કપડાનું વિતરણ શરદપૂનમના દિવસે જરૂરિયાતમંદ લોકોમાં કરવામાં આવ્યું હતું. મોરબીના લીલાપર રોડ પર આર્થિક રીતે જરૂરિયાતમંદ લાભાર્થીઓના વિસ્તાર ખાતે સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક કાર્યકરોને સાથે રાખીને પુરુષ, મહિલા તથા બાળકો તમામ લાભાર્થીઓને જરૂરિયાત મુજબના કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે સંસ્થાના પ્રતિનિધિઓના સહકાર દ્વારા કો-ઓર્ડીનેટર આરતીબેન રત્નાણીએ કપડાનું વધુમાં વધુ કલેક્શન કરીને સમગ્ર વિતરણ વ્યવસ્થાનું સફળ સંચાલન કરી આ વિશિષ્ટ કામગીરીને સફળ બનાવી હતી.

- text