ભીમસર ખાતે હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ

- text


વાલ્મીકિ જયંતિના પાવન અવસરે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો.જયંતિભાઈ ભાડેસિઆના હસ્તે સેન્ટર શરૂ

મોરબી : વાલ્મીકિ જયંતિના પાવન અવસરે ભીમસર મુકામે હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો.જયંતિભાઈ ભાડેસિઆના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પાવન અને દિવ્ય પ્રસંગ લાલબાગ ઉપનગર સેવાવિભાગ/સામાજિક સમરસતા મંચ દ્વારા વાલ્મીકિ સમાજ ના ભાઈઓ તથા બહેનોની ઉપસ્થિતિ માં યોજાયો હતો.

આ પ્રસંગે ડો.ભાડેસિઆએ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. વાલ્મીકિ પૂજન કર્યું હતું અને તેઓનું કુમકુમ તિલક તથા ઢોલ /ત્રાંસા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સુંદર કાર્યક્રમની સફળતા માટે લાલજીભાઈ કુનપરા, રાજુભાઈ વિરમગામા, દિનેશ ભાઈ વિડજા સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. આગામી દિવસોમાં આ વિસ્તારમાં એક સંસ્કાર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે.જે અંગે લલિતભાઈ પાંડે, વસંતભાઈ આહીર, જીતુભાઈ પરમાર,બકુલ ભાઈ, મહેન્દ્રભાઈ સહિતના કાર્યકર્તાઓએ નિશ્ચિય લીધો છે. આ પ્રસંગે ભીમસરના અગ્રણીઓ મહેશભાઈ પરમાર,વિપુલભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text