19 ઓક્ટોબરે મોરબીના પરશુરામધામ ખાતે મોચી સમાજના રાસોત્સવનું ભવ્ય આયોજન

- text


શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ મોરબી દ્વારા રાસોત્સવ યોજાશે

મોરબી : શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ મોરબી દ્વારા સંત શ્રી જાગા સ્વામી જયંતિ નિમિત્તે મોચી સમાજ માટે તારીખ 19-10-2024 ને શનિવારના રોજ રાત્રે 8 કલાકે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

પરશુરામધામ, નવલખી રોડ, મોરબી ખાતે આયોજિત આ રાસોત્સવમાં કોઈપણ ચાર્જ વગર ફક્ત મોચી જ્ઞાતિના લોકોને પ્રવેશ વિના મૂલ્યે આપવામાં આવશે. તેમજ દરેક જ્ઞાતિ બંધુઓને પોતાનો વ્યવસાય બંધ રાખી આ કાર્યક્રમમાં હાજરી આપે જેથી સમસ્ત મોચી સમાજ ભેગો થાય અને આનંદ કરે તેમ પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ, પ્રમુખ લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ મોરબીની યાદીમાં જણાવ્યું છે.

- text

- text