મોરબીમાં ભાજપ દ્વારા મહર્ષિ વાલ્મિકીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

- text


મોરબી : તારીખ 17 ઓક્ટોબરના રોજ મહર્ષિ ઋષિ વાલ્મિકીજીની જન્મ જયંતી હોય આ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીના માર્ગદર્શન હેઠળ મહર્ષિ વાલ્મિકીજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

- text

17 ઓક્ટોબર ને ગુરુવારના રોજ મહર્ષિ વાલ્મિકી જયંતી નિમત્તે મોરબીમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી બળવંતભાઈ, ઉપપ્રમુખ દિપકભાઈ ચૌહાણ, પૂર્વ કાઉન્સિલર ભાનુબેન નગવાડીયા, નિલેશભાઈ સોલંકી, મોરબી શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ સોલંકી, સુભાષભાઈ પૂરબિયા, મનોજભાઈ સોલંકી, નટુભાઈ ચૌહાણ સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text