19 ઓક્ટોબરે ગૌમાતાના લાભાર્થે મોરબીના લીલાપર ગામે નાટક અને કોમિક ભજવાશે

- text


મોરબી : લીલાપર ગામમાં થયેલા સંકલ્પ ‘અમારી ગાય કતલ ખાને નહીં જાય’ અંતર્ગત નિરાધાર ગૌમાતાના લાભાર્થે લીલાપર ગામ ખાતે તારીખ 19-10-2024 ને શનિવારના રોજ રાત્રે 9:30 કલાકે ગામના ચોક ખાતે નાટક અને કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગૌ-સેવા બજરંગ યુવક મંડળ દ્વારા મહાન ઐતિહાસિક નાટક “પાવાગઢનો ઇતિહાસ” યાને પતૈય રાજાનું પતન અને સાથે જ પેટ પકડીને હસાવે એવું હાસ્ય રસિક કોમિક દિ ઉઠાડ્યો દામલે રજૂ કરવામાં આવશે. ત્યારે આ નાટક અને કોમિક નિહાળવા ગૌ-સેવા બજરંગ યુવક મંડળ તથા સમસ્ત લીલાપર ગામ દ્વારા સૌને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text