20 ઓક્ટોબરે મોરબી પાંજરાપોળ ખાતે ધર્મસભા યોજાશે

- text


જગદગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ હાજરી આપશે

મોરબી : આગામી તારીખ 20 ઓક્ટોબર ને રવિવારના રોજ બપોરે 3 થી 7 વાગ્યા સુધી મોરબીના વાંકાનેર હાઈવે પર સલતાનપર રોડ પર આવેલી મોરબી પાંજરાપોળ ખાતે ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યં છે. જેમાં નવ્ય ભવ્ય દિવ્ય ગૌ દર્શન, જલ દર્શન અને વન દર્શન યોજાશે.

- text

મોરબી પાંજરાપોળ ખાતે યોજાનાર ધર્મ સભામાં જગદગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ બિરાજશે. આ ઉપરાંત આ ધર્મ સભામાં રાજકીય, સામાજિક આગેવાનો અને અધિકારીઓ હાજરી આપશે. ધર્મ સભા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. તો સૌને આ ધર્મ સભામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.

- text