મોરબીના નવા બસ સ્ટેશન ખાતે અંબાજી મંદિરનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો

- text


પાટોત્સવ પ્રસંગે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું

મોરબી : એસ.ટી. વિભાગ- મોરબી ડેપો દ્વારા મોરબીના નવા બસસ્ટેશન સ્થિત શ્રી અંબાજી માતાજીના મંદિરનો પ્રથમ પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ત્રિવિધ કાર્યક્રમો સહ ઉજવવામાં આવ્યો હતો. પાટોત્સવ પ્રસંગે મહાયજ્ઞ, મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી એસ.ટી. વિભાગના છેલ્લા 25 વર્ષમાં નિવૃત્ત થયેલા 190 કર્મચારીઓની ઉપસ્થિતિમાં પ્રવર્તમાન કર્મચારીઓ દ્વારા મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આયોજનને સફળ બનાવવા મોરબી એસ.ટી. ડેપો મેનેજર અનિલભાઈ પઢારીયા, મોરબી એસ.ટી. ડેપો ટી.સી. ડી.એન. ઝાલા, યોગેશભાઈ જાની સહિતના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

- text

- text