17 ઓક્ટોબરે આહીર સેના મોરબી જિલ્લા દ્વારા શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન

- text


મોરબી : આહીર સેના ગુજરાત મોરબી જિલ્લા દ્વારા સંચાલિત શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવ-2024ની ભવ્ય સફળતા બાદ આહીર સેના મોરબી જિલ્લા દ્વારા આવતીકાલે તારીખ 17 ઓક્ટોબર ને ગુરુવારે શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ શરદપૂર્ણિમા રાસોત્સવ મોરબીના નવલખી રોડ પર આવેલા બહુચર પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. જેમાં આહિરાણી મહારાસ દ્વારા વિશ્વ લેવલે પ્રસિદ્ધિ મેળવેલા મહારાસ સોંગના સિંગર ભાવેશ રામ આહીર, જાહલબેન આહીર તથા રવિ આહીર(બિરાદર) વગેરે કલાકાર રમઝટ બોલાવશે. આ આયોજન આહીર સમાજ માટે આવકાર્ય છે. આ રાસોત્સવમાં આહીર સમાજના ભાઈઓ તથા બહેનોને પરંપરાગત પહેરવેશ સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.

- text

- text