મોરબીના સાવસર પ્લોટની SBI બેંકના મેનેજરની બદલી કરવા માગ

- text


મોરબી : મોરબીના સાવસર પ્લોટમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના બ્રાંચ મેનેજરના વર્તનથી કંટાળીને અરજદારોએ બ્રાંચ મેનેજરની બદલી કરાવવા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરી છે.

રજૂઆત કરનાર એમ.જી. બારીઆ, એન.બી. ફાચરા, સુભાષભાઈ ડાંગર અને ગીરધરભાઈ રાઠોડે જણાવ્યું છે કે, તેઓ સાવસર પ્લોટ ખાતેની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાંચમાં ખાતું ધરાવે છે. હાલના જે બ્રાંચ મેનેજર છે તે આવ્યા ત્યારથી એટીએમ મશીન રજાના દિવસોમાં બંધ રાખવામાં આવે છે. જેના કારણે નાણા ઉપાડવા-જમા કરાવવા અને પાસબુક પ્રિન્ટિંગ કરાવવા વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. અન્ય બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડીએ તો ચાર્જ ચુકવવો પડે છે. આ અંગે બ્રાંચ મેનેજરને અનેક વખત મૌખિક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તેઓ રજૂઆતને ધ્યાન પર લેતા નથી અને પોતાની મનમાની ચલાવે છે. તેથી બ્રાંચ મેનેજરના આ પ્રકારના વર્તન બદલ તેઓને અન્ય જગ્યાએ બદલી કરાવા તથા ઘટતી કાર્યવાહી કરી યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

- text

- text