મોરબીમાં કરુણા હેલ્પલાઈન એમ્બ્યુલન્સે 7 વર્ષમાં 13821 પશુઓને નવજીવન આપ્યું

- text


મોરબી : તાજેતરમાં મોરબી જિલ્લામાં 1962- કરુણા હેલ્પલાઈન એમ્બ્યુલન્સે તેમની સેવાના 7 વર્ષ પૂર્ણ કર્યા છે. અત્યાર સુધીમાં કરુણા એમ્બ્યુલન્સ દ્વારા મોરબી જિલ્લામાં 13821 પશુઓને નવજીવન આપવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં બિનવારસુ, દિવ્યાંગ, નબળા પશુઓની મદદ માટે 1962 કરુણા હેલ્પલાઈન નિ:શુલ્ક કાર્યરત છે. છેલ્લા 2 વર્ષમાં 4820 શ્વાન, 1350 ગાય, 526 બિલાડી, 185 કબૂતર, ચકલી, પોપટ, બકરા, કાગડા, સસલાં, ઊંટ વગેરે મળીને કુલ 8546 પશુ- પંખીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે.

કરુણા એમ્બ્યુલન્સ ટીમ તાલીમબદ્ધ કર્મચારીઓ, દવા, સાધનો અને લેબોરેટરીની સુવિધા સાથે સંપન્ન છે. આ ટીમમાં 1 વેટરનરી ઓફિસર અને 1 પાયલોટ હાજર રહે છે. જ્યાં પણ બિનવારસુ મુંગા જીવોને જરૂર હોય કે ઘાયલ હોય ત્યાં આ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાથી તાત્કાલિક મદદ મળી શકે છે. તેમજ જો જરૂર જણાય તો સ્થળ પર જ પશુની તાત્કાલિક સર્જરી કરવામાં આવે છે. આ નિ:શુલ્ક સેવાનો તમામ મોરબીવાસીઓને લાભ મેળવવા માટે પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર જૈમિન પાટિલ, મોરબી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text