મોરબીમાં યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો, પરિણીતાનો ગળાફાંસો

- text


વૃંદાવન પાર્કમાં વૃદ્ધનું હાર્ટએટેકથી મૃત્યુ

મોરબી : મોરબી શહેર અને તાલુકામાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવમાં ત્રણ માનવ જિંદગીનો જીવનદીપ અકાળે બુઝાઈ ગયો હતો જેમા પરિણીતાએ ગળેફાંસો ખાઈને, યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું તો વૃંદાવન પાર્કમાં વૃદ્ધનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું.

- text

પ્રથમ ઘટનામાં મોરબીના લાલપર નજીક આવેલ સોલો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા કૈલાશબેન વનરાજભાઈ ચૌહાણ ઉ.26 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક કૈલાશબેનના આઠ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. જ્યારે બીજા બનાવના મોરબીના રવાપર રોડ ઉપર ઉમિયાનગરમાં રહેતા વિપુલભાઈ મગનભાઈ કાચરોલા ઉ.47 નામના યુવાને રફાળેશ્વર રેલવે સ્ટેશન નજીક ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ઉપરાંત અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોરબીના દલવાડી સર્કલ નજીક વૃંદાવન પાર્કમાં રહેતા મનસુખભાઇ કરશનભાઇ ભાડજા ઉ.65નું હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text