મોરબીના જડેશ્વર મંદિરે 20 ઓક્ટોબરે ગોયણી પૂજનનો કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવ મંદિર દ્વારા છેલ્લા આઠ વર્ષથી શરદપૂનમ નિમિત્તે ગોયણી (મહા દુર્ગા પૂજા) પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે તારીખ 20 ઓક્ટોબરના રોજ સાંજે 5 થી 8 કલાક દરમિયાન ગોયણી પૂજનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં દીકરીઓને વિદ્યા વસ્તુઓનું દાન આપવામાં આવશે.

જેમાં 11 વર્ષ સુધીની દીકરીઓ નામ લખાવી શકશે. ગોયણીના નામ લખાવવા માટે 17 ઓક્ટોબર સાંજે 8 વાગ્યા સુધીમાં મંદિરે રૂબરૂ પૂજારીને લખાવી દેવા અથવા રાજેન્દ્રભાઈ ભટ્ટ- 9909958188 અથવા રમેશભાઈ પીઠવા- 9909560998 અથવા યશવંતભાઈ જોશી- 9974768005 અથવા હીતાબેન જોશી- 9099705434ને વોટ્સએપ પર દીકરીનું નામ અને ઉંમર લખાવી દેવા જણાવાયું છે.

- text

- text