મોરબીમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

- text


કાર્યક્રમમાં લોક ગાયક દેવેન વ્યાસ અને તેમની ટીમે ગુજરાતી લોકગીતો રજુ કર્યા

મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ અને સુશાસનના 23 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં ભારે ઉલ્લાસ અને આંનદ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સંયુકત ઉપક્રમે મોરબીમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જાણીતા લોક ગાયક દેવેન વ્યાસ અને તેમની ટીમ દ્વારા કસુંબીનો રંગ, મેરે ઘર રામ આયેંગે, કોઈનો લાડકવાયો, દ્વારકાનો નાથ, રંગતાળી રે, ભારત કા બચ્ચા બચ્ચા, ગિરધારી રે, અમે મહિયારા રે વગેરે જાણીતા ગુજરાતી લોકગીતો અને સુગમ સંગીત રજુ કર્યા હતા. આ દરમ્યાન ઢોલ-નગારાના તાલે બાળકો ઝુમી ઉઠ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વરચિત માતાજીનું સ્તુતિ ગીત “આવતી કળાય રે” ઈન્ટરનેટ પર વાયરલ બન્યું છે. આ ગીત પર બાળાઓએ સુંદર રાસ રજૂ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર બી.કે.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ, પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, ડેપ્યુટી કલેક્ટર સુબોધકુમાર દુદખિયા, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ સહિતના અધિકારીગણ, અન્ય કર્મચારીઓ, સંસ્થાના સ્ટાફ, લોક કલાકારો તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text