મોરબીના માધાપર ગામે શસ્ત્ર પૂજન કરાયું

- text


મોરબી : વિજ્યાદશમીના પર્વ નિમિત્તે મોરબી જિલ્લામાં ઠેર ઠેર લોકોએ શસ્ત્ર પૂજન કર્યું હતું. ત્યારે મોરબીના માધાપર ગામે પણ દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામના રામજી મંદિર ચોક ખાતે સમસ્ત ગામ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ શસ્ત્રોનું ગામના ભાઈઓ-બહેનો, વડીલો અને બાળકો સહિતના લોકોએ ઉપસ્થિત રહીને પૂજન કર્યું હતું.

- text

- text