લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા નવરાત્રિમાં 530 બાળાઓને લ્હાણી વિતરણ કરાયું

- text


મોરબી : નવલા નવરાત્રિના નવ દિવસોમાં મા શક્તિની આરાધના ચાચર ચોકમાં નવદુર્ગા સ્વરૂપે નાની મોટી બાળાઓ પ્રાચીન સંસ્કૃતિ જાળવવા ગરબે ઘુમતી હોય છે. ત્યારે છેવાડાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને દાતાઓ તરફથી અલગ-અલગ વિસ્તારોમાં લ્હાણી વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં છેવાડાના શહેરી વિસ્તારોમાં શિવ-શક્તિ ગરબી મંડળની 50 બાળાઓ, નવલખી રોડ પર આવેલા સાંઈ કષ્ટભંજન હનુમાનજી મંદિરે 100, લીલાપર પાંજરાપોળ જય માતાજી ગરબી મંડળની 50 બાળાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારની વેજલપર ગરબી મંડળની 130 તથા માળિયા (મિયાણા) પોલીસ લાઈનની 160 બાળાઓ એવી સર્વ જ્ઞાતિની બાળાઓને લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના મુખ્ય દાતાઓ લા. મણિલાલ જે. કાવર, સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા, પૂર્વ પ્રેસિડેન્ટ લા. ભીખાભાઈ લોરિયા તેમજ લા. પંકજભાઈ વ્યાસ, લા. પરસોતમભાઈ વાધડીયા, લા. બિરેન્દ્રસિંહ રાઠોડ અને લાયન સભ્યોના સહકારથી તથા રામજીભાઈ વાધડીયા જેવા દાતાઓના સહકારથી કુલ 530 બાળાઓને પ્રોત્સાહિત કરવા લ્હાણી આપવામાં આવી હતી.

આપણી ભારતીય સંસ્કૃતિ જાળવવા માટે આ બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં તથા પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજાની રાહબરી નીચે આ ગરબે રમતી બાળાઓને પ્રોત્સાહિત કરવા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સભ્યો લા. મહાદેવભાઈ ચિખલીયા, લા. નાનજીભાઈ મોરડીયા, લા. ઉપેશભાઈ પાડલિયા, લા. રશમિકાબેન રૂપાલા વગેરે હાજર રહી આ નવરાત્રિ મહોત્સવમાં બાળાઓને પ્રોત્સાહિત કરવામા આવી હતી તેમ સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text