મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી અને માહેશ્વરી પ્રગતિ મંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : તારીખ 13 ઓક્ટોબર ને રવિવારના રોજ મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી અને માહેશ્વરી પ્રગતિ મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના શનાળા રોડ પર આવેલા સંસ્કાર બ્લડ બેંક એન્ડ ઈમેજિંગ સેન્ટર ખાતે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને રક્તદાન મહાદાન સૂત્રને સાર્થક કર્યું હતું. રક્તદાતાઓને મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ફ્રુટ આપવામાં આવ્યા હતા તથા સંસ્કાર બ્લડ બેંક તરફથી જ્યુસ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા મુસ્કાન વેલ્ફેર સોસાયટી, માહેશ્વરી પ્રગતિ મંડળ અને સંસ્કાર બ્લડ બેંકના સ્ટાફ અને આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text