મોરબીમાં પાટીદાર શિક્ષક સમાજ દ્વારા વાર્ષિક સમારોહ યોજાયો

- text


સમારોહમાં કેન્દ્રીયમંત્રી પરષોત્તમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિ

મોરબી : મોરબી તાલુકામાં સારસ્વત શિક્ષક તરીકે ફરજ બજાવતા કડવા-લેઉવા પરિવારના બંધુ ભગીનીઓનું ગ્રૂપ મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સમાજમાં એકતા અને એકજુટતા આવે, હું નહિ આપણેની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહમિલન, રાસોત્સવ, તેજસ્વીતા સન્માન અને વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહ દ્વારકાધીશ હોલ ખાતે સમાજની રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સંગઠનની હસ્તીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા શૈક્ષણિક, સામાજિક, રચનાત્મક અને સંગઠનાત્મક વિકાસ અર્થે આ અદકેરા સમારોહનું આયોજન થયું હતું. આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મહામંત્રી જિલ્લા ભાજપ કે.એસ.અમૃતિયા, પૂર્વ નાયબ નિયામક ડો.વી.બી.ભેંસદડીયા, રાજકીય અગ્રણી નથુભાઈ કડીવાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત, જયંતિભાઈ જે.પટેલ, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, શિક્ષણવિદ્ પી.ડી. કાંજીયા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરા, મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી, ઉમિયા સર્વિસ કલાસ ફોરમના પ્રમુખ અશ્વિનભાઈ એરણિયા વગેરેએ ખાસ ઉપસ્થિત રહી પાટીદાર શિક્ષક સમાજ મોરબીના સભાસદોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું.

સમારોહની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્તુતિ દ્વારા કરવામાં આવી હતી. સર્વે મંચસ્થ મહાનુભાવોને કુમ કુમ તિલક કરી તથા પુચ્છગુછ અર્પિત કરી આવકારવામાં આવ્યા હતા. શાબ્દિક સ્વાગત હર્ષદભાઈ મારવણિયા દ્વારા થયું હતું. ત્યારબાદ દિનેશભાઈ વડસોલાએ પાટીદાર શિક્ષક સમાજની રચનાનો હેતુ અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાએ પોતાની આગવી શૈલીમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન 2047માં વિકસિત ભારતનું સપનું જોઈ રહ્યા છે પણ મને એમ લાગે છે કે આજે 98 અને 99 ટકા લાવતા દીકરા-દીકરીઓ ભારતને 2040માં જ વિકસિત રાષ્ટ્ર બનાવી દેશે. તેમજ રાષ્ટ્ર ઘડતર અને સંસ્કારી સમાજનું ઘડતર કરવાની જવાબદારી શિક્ષકોના શિરે છે, કાંતિભાઈ અમૃતિયાએ શિક્ષકોની ઉત્તમ પ્રવૃત્તિ બદલ અભિનંદન આપ્યા હતા. પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા કે જેઓ પાટીદાર શિક્ષક સમાજના અત્યાર સુધીના પાંચે-પાંચ વાર્ષિક સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે એમણે નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોલી દર્શક, ઓ.આર.પટેલ વગેરે જેવા શિક્ષકરત્નોના ઉદાહરણો આપી શિક્ષકોનું મહાત્મીય વર્ણવ્યું હતું.

આમ મંચસ્થ મહાનુભાવોએ પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યું હતું. સમારોહ અંતર્ગત ધો.10-12 તેમજ જવાહર નવોદય વિદ્યાલય તેમજ અન્ય પરીક્ષાઓમાં સફળ થઈ નંબર પ્રાપ્ત કરેલ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ નિવૃત્ત થનાર શિક્ષકોને નિવૃત્તિ વિદાયમાન સન્માન અર્પિત કરવામાં આવ્યું. આભાર દર્શન સંદીપ આદ્રોજા દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

આ સમારોહને સફળ બનાવવા સંદીપ આદ્રોજા, હર્ષદ મારવણિયા, શૈલેષ ઝાલરીયા, અશ્વિન એરણિયા, રમેશ કાલરીયા, સંજય બાપોદરિયા, કિરણ કાચરોલા,જીજ્ઞેશ રાબડીયા, શૈલેષ કાલરીયા,મુકેશ બરાસરા, રમેશ ભાટીયા,અશ્વિન દલસાણીયા, શશીકાંત ભટાસણા, અશોક વસિયાણી, સતીષ જીવાણી, રાજેશ મોકાસણા સંજયભાઈ કોટડીયા, ગિરીશ કલોલા અને સંદીપ લોરિયા વગેરે સૌ સમિતિ કન્વીનરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમારોહના દાતા રાજેશભાઈ ઘોડાસરા અને સંજયભાઈ કોટડીયાનું સન્માન કરવામાં આવ્યું. સમારંભનું સફળ સંચાલન શૈલેષ ઝાલરીયા હર્ષદભાઈ મારવણીયા દ્વારા કરવામાં આવ્યું. સમારોહ પૂર્ણ થયા બાદ ભોજન સમારંભ અને રાસોત્સવનું આયોજન કરાયું હતું.

- text