મોરબીની વન અપ સોસાયટીમાં કોન બનેગા જ્ઞાનપતિ કાર્યક્રમ યોજાયો

- text


કાર્યક્રમમાં વિજેતાને ભારત માતાનો ફોટો, વ્યક્તિત્વ વિકાસની ભારતની મહાન નારીઓની પુસ્તીકાનો સેટ અને બાળકોને ઉપયોગી ભેટો અપાઈ

મોરબી : મોરબીમાં ભક્તિ અને શક્તિની આરાધનાના પર્વ દશેરાના પાવન પ્રસંગ નિમિત્તે એસ.પી.રોડ પર આવેલી ધ વન અપ સોસાયટીમાં કોણ બનેગા જ્ઞાનપતિ? કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવરાત્રી મહોત્સવ ભારતીય સંસ્કૃતિની થીમ જેમાં રામાયણ, મહાભારત, વેદો, ગીતાજી, હિન્દુ જીવન પદ્ધતિ, ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક પાત્રો, જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિજેતાઓને ભારત માતાનો ફોટો, વ્યક્તિત્વ વિકાસની ભારતની મહાન નારીઓની પુસ્તીકાનો સેટ અને અન્ય બાળકોને ઉપયોગી ભેટો આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો અને તેમને અવનવા ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ડી.કે.બાવરવા અને ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી થાય, તેમજ તેઓ પરિચિત થાય અને તેને વાંચે તે હતો. આ કાર્યક્રમમાં નિલવાયર ઇન્ડસ્ટ્રીઝના દિવ્યેશભાઈ પી. કલોલા, રેકટ્રોન સિરામિકના જગદીશભાઈ આર. ભાડજા, B.H.M ઇમપોર્ટ એકસ્પોર્ટના કલ્પેશભાઈ ડી. કાલરીયા, ઓમ વિધાલય ટંકારાના યોગેશભાઇ ઘેટિયા દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો. તેમજ જયંતિભાઈ પારેજીયા અને દિલીપભાઈ કે.બાવરવા દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો.

- text

- text