સત્કાર્ય : મોરબીના યુવાને 35 ગાયોને રેડિયમ બેલ્ટ બાંધ્યા

- text


અમદાવાદ જતી વખતે ત્રણ થી ચાર ગાયને મૃત હાલતમાં જોતા ગાયો બચાવવા કરી કામગીરી

મોરબી : મોરબીના યુવાન દ્વારા લખધીરપુર રોડ અને ત્રાજપર ચોકડી પાસે 35 જેટલી ગાયોને રેડિયમ બેલ્ટ બાંધી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે.

સમગ્ર વિગત અનુસાર, મોરબીના યુવાન ડગાયા પંકજભાઈ બાવજીભાઈ એક દિવસ અમદાવાદ જતા હતા ત્યારે તેઓને રસ્તામાં અકસ્માતથી ત્રણ થી ચાર ગાય મૃત હાલતમાં જોતા યુવાનનું હૃદય કંપી ઉઠ્યુ હતું. આથી તેમણે વિચાર આવ્યો કે ગાયોને અકસ્માતથી બચાવવા તેમના ગાળામાં રેડિયલ બેલ્ટ બંધીએ તો અકસ્માતનું પ્રમાણ ઘટી શકે. તેથી તેમણે મોરબીના લખધીરપુર રોડ અને ત્રાજપર ચોકડીએ રખડતી ભટકતી 35 જેટલી ગાયોને રેડિયમ બેલ્ટ બાંધ્યા હતા અને હજુ 500 જેટલી ગાયોને આ બેલ્ટ બાંધવાનો તેમને નિર્ધાર કર્યો છે.

- text

- text