માળીયા મિયાણાના મોટા દહીંસરા ગામે હત્યાના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઇ

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના વિવેકાનંદ નગરમાં શેરીમાં નીકળતા પાણી મામલે પાડોશીઓ વચ્ચે થયેલ બોલાચાલી અને ઝઘડામાં મારામારી થતા આ બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું જેમાં સામાપક્ષે મૃતક અને તેમના સસરા વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.10ના રોજ માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના વિવેકાનંદ નગરમાં ફરિયાદી અરુણભાઈ અવચરભાઈ ઈન્દરિયાના ઘર પાસે પાણી નીકળવા મામલે પાડોશમાં રહેતા ચંદુભાઈ છગનભાઇ મકવાણા અને ચંદુભાઈના સસરા મહાદેવભાઈ મોહનભાઇ રાઠોડ સાથે બોલાચાલી ઝઘડો થતા બન્ને આરોપીઓએ સાહેદ સુરેશભાઈને માથામાં ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વળતી ફરિયાદ નોંધાઇ છે. નોંધનીય છે કે, આરોપી ચંદુભાઈને આ ઝઘડામાં ઇજાઓ પહોંચતા સારવારમાં મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. હાલના આ બનાવ મામલે પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text