મોરબીના ખરેડા દાળમાદાદાના મંદિરે 12 ઓક્ટોબરે રામામંડળનું આયોજન

- text


મોરબી : મોરબીના ખરેડા ગામે આવેલા દાળમાદાદાના મંદિરે આવતીકાલે તારીખ 12 ઓક્ટોબર ને શનિવારે રામામંડળ ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. નારણભાઈ મોહનભાઈ પ્રજાપતિ દ્વારા આ રામામંડળનું આયોજન કરાયું છે. જેમાં સદગુરુ રામામંડળ- મોટીમાલવણ દ્વારા રામદેવપીરજી મહારાજનું જીવન ચરિત્ર સંગીતમંય શૈલીમાં ભજવવામાં આવશે. સમગ્ર રામામંડળનું લાઈવ પ્રસારણ શ્રી સદગુરુ રામામંડળ મોટીમાલવણની યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. તો આ રામામંડળ નિહાળવા સર્વે ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text