મોરબીના રાજપર ગામે ભવાની ગરબી મંડળ દ્વારા રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવાઈ

- text


મોરબી : ગતરોજ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનથી સમગ્ર રાજ્યમાં શોક જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ દરમ્યાન મોરબીના રાજપર ગામે ભવાની ગરબી મંડળ દ્વારા રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જેમાં ગરબીમાં ઉપસ્થિત લોકોએ મીણબત્તી રાખી રતન ટાટાને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

મહત્વનું છે કે, ભારતના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. ગુજરાત સરકાર રતન ટાટાના નિધનથી ગુજરાતમાં એક દિવસનો શોક જાહેર કર્યો હતો.

- text

- text