જીવાપર (ચ) ગામની પ્રાચીન ગરબીમાં આઠમની મહાઆરતી યોજાઈ

- text


શ્રી બહુચર યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ 2024નું ભવ્ય આયોજન

મોરબી : જીવાપર (ચ) ગામની શ્રી બહુચર યુવક મંડળની નવરાત્રી મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રીના દિવસોમાં માં શ્રી આદ્યશક્તિ અંબા અને બાળા બહુચરની આરાધના કરતા માના ભક્તો ભાવ પૂર્વક તેમજ શ્રધ્ધાથી માના ગરબા ગાય છે. અહી આઠમની ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી.

જીવાપર (ચ) શ્રી બહુચર યુવક મંડળની સ્થાપના આશરે 170 વર્ષ પૂર્વે થઈ હતી. અહીં નવરાત્રીના ગરબા દરમ્યાન ચા-પાણી અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે. અગાઉ નવરાત્રી દરમ્યાન ઐતિહાસિક નાટકો જેવા કે, સમ્રાટ હર્ષ, સૂર્ય વીરાંગના, જય ચિત્તોડ, રાજા હરિશ્ચંદ્ર, વીર એભળવાળા જેવા અનેક નાટકો ભજવાતા. બહુચર યુવક મંડળના નવ યુવાનો દ્વારા ડેકોરેશન, લાઇટિંગ તેમજ સુશોભન નવરાત્રીના 3-4 દિવસ પહેલા કરવામાં આવે છે.

- text

- text