મોરબીમાં સ્વ. કમુબેન જેસંગભાઈ મકવાણાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાશે

- text


વિક્રમભાઈ જેસંગભાઈ મકવાણા દ્વારા 14 ઓક્ટોબરના રોજ બે સ્થળે રક્તદાન કેમ્પનું આયોજન

મોરબી : મોરબીમાં આગામી તારીખ 14 ઓક્ટોબર ને સોમવારના રોજ સ્વર્ગસ્થ કમુબેન જેસંગભાઈ મકવાણાની 35મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વિક્રમભાઈ જેસંગભાઈ મકવાણા દ્વારા સ્વ. કમુબેન જેસંગભાઈ મકવાણાની પુણ્યતિથિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સિવિલ હોસ્પિટલ- મોરબી તથા સિવિલ હોસ્પિટલ- અમદાવાદના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. તારીખ 14 ઓક્ટોબર ને સોમવારના રોજ સવારે 8 થી 12 કલાક સુધી મોરબીના વાવડી રોડ પર આવેલા રામકૃપા પેટ્રોલિયમ ખાતે અને બપોરે 1 થી સાંજે 5 કલાક સુધી નીચી માંડલના હળવદ રોડ પરની શિવ હોટેલ ખાતે રક્તદાન કેમ્પ યોજાશે. તો આ રક્તદાન કેમ્પમાં સહભાગી થઈ સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.

- text

- text