ખાખરેચીમાં આરોગ્ય શિબિર યોજાઈ : 154 લોકોએ લીધો લાભ

- text


 

માળિયા : માળિયા મીયાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચીના તાબા હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર ખાખરેચી-2 ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર જુના ઘાંટીલા(આયુર્વેદિક)ડો.એ.એ. સેરસિયા તથા સ્ટાફના સહયોગથી આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં આયુર્વેદિક નિદાન તથા સારવાર માટે ડો.એ.એ. સેરસિયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી અને આયુષ્માન આરોગ્ય મંદિર ખાખરેચી-2 માંથી PHC-આયુષ મેડિકલ ઓફિસર ડો. દીપિકા, FHS – નીરૂબેન નિનામા તથા CHO, MPHW, FHW, અને આશા વર્કરે હાજરી આપેલ હતી.

- text

આ શિબિરમાં આયુર્વેદિક નિદાન તથા સારવાર, NCD સ્ક્રીનીંગ, NVBDCP, ANC -PNC ચેક અપ, ટીબી વગેરે પ્રોગ્રામને લગત કામગીરી તથા આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડને લગત જુદી જુદી કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં ઉપર જુદી જુદી સેવાઓમાં કુલ 154 દર્દી તથા લાભાર્થીએ લાભ લીધો હતો.

- text