મોરબીમાં નવરંગ નેચરલ કલબ દ્વારા રવિવારે રાહત દરે ફૂલ છોડના કલમી રોપાનું વિતરણ

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે તારીખ 13/10/2024 ને રવિવારે સવારે 8 થી 1 કલાક દરમ્યાન નવરંગ નેચરલ ક્લબ દ્વારા દરેક જાતના ફૂલ છોડના કલમી રોપાઓનું રાહત વિતરણ કરવામાં આવનાર છે.

- text

જેમાં 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, દરેક જાતના બીયારણ, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર – ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, પાવડર-ચુર્ણ, ધુપ, અગરબત્તી, ગુગળ, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી, તથા પાટીયા ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે મળશે. આ ઉપરાંત ફુલ છોડના કુંડા ગાય આધારિત દેશી ખાતર, તમામ બીમારીમા ઉપયોગી દેશી ખાંડ, સિંધાલૂણ, ગોળ, ફ્રુટ પ્રોડક્ટ્સ, સાબુ, મહેંદી વગેરે પણ રાહત ભાવે મળશે. વધુ માહિતી માટે પ્રમુખ વી. ડી. બાલા મો. નં 9427563898, અને મોરબી લવજીભાઈ પ્રજાપતિ મો. નં 992536946નો સંપર્ક કરવા જણાવાયું છે.

 

- text