જુની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની જાહેરાતને મોરબીના શિક્ષકોએ વધાવી

- text


2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોએ સરદારબાગ ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પ્રણામ કર્યા

મોરબી : ગઈકાલે 6 ઓક્ટોબરના રોજ ગુજરાત સરકાર દ્વારા જુની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આ જાહેરાતને લઈને 2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. મોરબીના શિક્ષકોએ પણ સરકારની આ જાહેરાતને સહર્ષ વધાવી હતી.

વર્ષોથી જૂની પેન્શન યોજનાની માગ કરતા શિક્ષકોની માગ પૂરી થતા હર્ષોલલાસ છવાય ગયો હતો. મહત્વનું છે કે, 01/04/2005 પહેલાના શિક્ષકો વર્ષોથી પોતાને OPS માટે હકદાર માનતા હતા. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં કેબિનેટ બેઠક બાદ ઉપરોક્ત માગણી મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા ઘણા મહાનુભાવોની હાજરીમાં 01/04/2005 પહેલાના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજના આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સાંજે જ સમગ્ર ગુજરાતની સાથે મોરબીના વર્ષ 2005 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકો પણ સરદારબાગ ખાતે એકત્રિત થઈને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શિસ્તબદ્ધ રીતે ફૂલહાર કરીને પ્રણામ કર્યા હતા તેમજ પેંડાથી મોઢું મીઠુ કરીને ફટાકડા ફોડી સરકારના નિર્ણયને સહર્ષ સ્વીકારીને ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text