પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે

- text


10 ઓક્ટોબર થી 10 નવેમ્બર સુધીમાં નામ નોંધાવી દેવા અપીલ

મોરબી : શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મોરબી શ્રી પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા તારીખ 2 ફેબ્રુઆરી, 2025ના રોજ વૈવાહિક બંધન 8મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાનાર છે. જેમાં નામ નોંધણીની શરૂઆત આગામી તારીખ 10 ઓક્ટોબરથી થનાર છે.

આ સમૂહ લગ્ન મહોત્સવ મોરબીના જુના સાદુળકા પાટીયા પાસે આવેલા કે.કે. બેન્ક્વેટ હોલ એન્ડ પાર્ટી લોન્જ ખાતે યોજાશે. સમૂહ લગ્નમાં નામ નોંધણી 10 ઓક્ટોબર 2024 થી 10 નવેમ્બર 2024 સુધી સવારે 9 થી 1 અને બપોરે 3 થી રાત્રે 9 વાગ્યા સુધી થઈ શકશે. ફોર્મ મેળવવાનું અને ભરીને પરત આપવા માટે મોરબીના સુપર ટોકિઝ પાસે મહેન્દ્રપરા મેઈન રોડ પર આવેલ શિવ ઓટો ગેરેજ ખાતે સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે ભરતભાઈ એલ. જાદવ- મો.નં. 9898719251 અથવા પરેશભાઈ જે. મંડલી- મો.નં. 9898720653 પર સંપર્ક કરવા જણાવાયું છે. ફોર્મ લેવા માટે વર-કન્યા પક્ષના પરિવારમાંથી એક જવાબદાર વ્યક્તિએ રૂબરૂ આવવું અને ફોર્મ સાથે વર-કન્યાના આધારકાર્ડની ઝેરોક્ષ તથા લિવિંગ સર્ટિફિકેટ, પાસપોર્ટ ફોટા આપવાના રહેશે.

- text

- text