ટંકારામાં લડાયક યોદ્ધા રાણા પુંજા ભીલના જન્મદિવસની ઉજવણી કરાઈ

- text


ટંકારા : ટંકારાના આંબેડકર હોલમાં તારીખ 5-10-2024ના રોજ લડાયક યોદ્ધા રાણા પુંજા ભીલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેક કાપીને આવેલા મહાનુભાવોએ સમાજ ઉત્થાનની વાત કરી, અને ત્યારબાદ આદિવાસીના પરંપરાગત પોશાકમાં નૃત્ય કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડો. જ્યંતીભાઈ માકડીયા, સમાજ કલ્યાણ અધિકારી મોરબી છાસિયા સાહેબ, સામાજિક કાર્યકર્તા નાગજીભાઈ ચૌહાણ, ન્યાય સમિતિ ચેરમેન મોરબી જિલ્લા કમળાબેન અશોકભાઈ ચાવડા, પોલીસ કર્મચારી ચેતનભાઈ તેમજ ન્યાય સમિતિ ચેરમેન ટંકારા તેમજ અતિથિ તરીકે સામાજિક આગેવાન રમેશભાઈ રાઠોડ, જબલપુરના શિક્ષક જસવંતભાઈ ચાવડા, પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન મહેશભાઈ લાધવા, સામાજિક કાર્યકર મુકેશભાઈ પરમાર, ઓટાળા સરપંચ સુરેશભાઈ, સામાજિક આગેવાન દિલીપભાઈ પરમાર, સામાજિક આગેવાન કૌશિકભાઈ પારિયા, સામાજિક આગેવાન મહેશભાઈ સારેસા, સામાજિક આગેવાન કિરણભાઈ ચાવડા, એન્જિનિયર કલ્પેશભાઈ પરમાર, હસમુખભાઈ પડાયા, હરપાલભાઈ સોલંકી, હસમુખભાઈ સોલંકી, પ્રવીણભાઈ પાંચાલ, હસમુખભાઈ રાઠોડ, મોહનભાઇ ચૌહાણ, પોપટભાઈ ચૌહાણ, દલસુખભાઈ ચૌહાણ, રમેશભાઈ સારેશા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ કાર્યક્રમનું આયોજન એડવોકેટ મનસુખભાઇ ચૌહાણ, અરવિંદભાઈ ગોહિલ, કાનજીભાઈ ગોહિલ માનસિંગભાઈ ગણાવા, નર્સિંગભાઈ સંગોડ, પર્વતભાઈ સંગોડ, ભેરુલાલભાઈ ગરવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

- text