- text
માળિયા (મિયાણા) : માળિયાના સંગાથ વૃદ્ધાશ્રમમાં 1 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ નિમિત્તે તમામ વડીલો અને સ્ટાફ દ્વારા રામધૂન, ભજન, સત્સંગ અને ભોજન કરાવવામાં આવ્યું હતું. ડો. અશ્વિનભાઈ વાઘેલા અને તેમના સ્ટાફ દ્વારા વૃદ્ધોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
- text
- text