વાંકાનેર- કુવાડવા રોડ પર સિંધાવદર પાસે આસોઈ નદીના બ્રિજ પર ગાબડું 

- text


વાંકાનેર : વાંકાનેર-કુવાડવા રોડ પર સિંધાવદર પાસે ટ્રાફિકથી ધમધમતા આસોઈ નદીના બ્રિજ પર ગાબડું પડતાં ગંભીર અકસ્માતનું જોખમ સર્જાયું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે બ્રિજ પર ગાબડું પડતાં જોખમ સર્જાયું છે. ગાબડું પડયાની જાણ થતાં આસપાસનાં લોકો દોડી ગયાં હતાં.

35 વર્ષ જૂનો આ બ્રિજ મુખ્ય માર્ગ પર હોય અહીંથી ભારે વાહનોથી અને સતત ટ્રાફિકથી ધમધમતો બ્રિજ છે. ત્યારે આ ગાબડું પડતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ગાબડું પડયાના 24 કલાક બાદ પણ કોઈ ઉચ્ચ અધિકારીઓ અહીં ફરક્યા નથી. આ બ્રિજની રેલીંગ સહિત ઠેર ઠેર ગાબડાં જોવા મળી રહ્યા છે ત્યારે ગઈ કાલે જોખમી ગાબડું પડતાં અકસ્માતનું જોખમ સર્જાયું છે.

- text

- text