મોરબીમાં તા.9થી ભવ્ય દુર્ગાપૂજા મહોત્સવ

- text


લખધીરવાસ ચોકમાં બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટીનું ભવ્ય આયોજન : જિલ્લા પોલીસ વડાના હસ્તે થશે પંડાલનું ઉદ્દઘાટન

મોરબી : મોરબીમાં લખધીરવાસ ચોકમાં નવરાત્રીના છઠા દિવસે તા.૯ ઓકટોમ્બર થી તા.૧૩ ઓકટોમ્બર વિજયા દશમી સુધી બેંગલ દુર્ગાપુજા ગ્રુપના કમીટી મેમ્બર્સ દ્વારા છેલ્લા આઠ વરસની જેમ આ વર્ષે પણ દુર્ગાપુજા મહાઉત્સવનું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જેના મુખ્ય કમીટી મેમ્બર્સ શિવપ્રસાદ મૈતી,શ્રીરામ મોન્ડાલ, મોહિતભાઈ રાવલ, શુભાશીષ મોન્ડાલ, નિગમાનંદ શાહું, તુષાર પ્રમાણીક, ચંચલ બેરા, સુજીત ધોષ,બબલુ જોહર, તુષાર ભુનીયા,પ્રદિપ કુંડુ, સંદિપ મોન્ડાલ દ્વારા દુર્ગાપુજા પંડાલનું જાજરમાન આયોજન કરવામાં આવશે.

તા.૦૮/૧૦/૨૦૨૪ મંગળવાર ના રોજ એસપી રાહુલ ત્રિપાઠીના શુભ હસ્તે રાત્રે ૮-૦૦ થી ૯-૦૦ વાગ્યા દરમ્યાન દુર્ગાપુજા પંડાલનું ઉદધાટન રીબીન કટ કરી અને તૈયારબાદ દિપમાલા પ્રજવલીત કરીને પુજાનો ભવ્ય શુભ આરંભ કરવામાં આવશે.

દુર્ગાપુજા કોઈ પ્રદેશ કે પ્રાંતનો નહીં પરંતુ તમામ જન જાતિ સમુદાયને સાથે ચાલીને ઉજાવવામાં આવે છે દુર્ગાપુજા ઉત્સવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ ફેસ્ટીવલમાં સ્થાન આપવામાં આવ્યું છે. દુર્ગાપુજા દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ ધામ ઘુમથી ઉજવવામાં આવે છે

ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરમપરાનું સમન્વય એટલે દુર્ગાપુજા આ પંડાલમાં બુધ્ધીના દેવતા ગણેશજી,બલના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનના દેવી સરસ્વતી, ધન અને એશ્રવર્યાના દેવી લક્ષ્મી, અને મહીસાસુરમર્દિની માં દુર્ગાનું પુજાન, અર્ચન, આરતી અને સ્તુતિ કરવામાં આવે છે. તો આ દુર્ગા પુજા મહા ઉત્સવનો અમુલ્ય લાભ લેવા માટે મોરબીની જનતાને હદય પૂર્વક નિમંત્રણ આપવામાં આવે છે.દુર્ગા પુજાને લગતી કોઈપણ માહિતી ,જાણકારી કે પ્રશ્ન માટે મોહિતભાઈ (કાર્તિક) રાવલનો મો..7990215099 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text

- text