મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ કરાશે

- text


મોરબી : મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ, મોરબી ખાતે તારીખ 6-10-2024 ને રવિવારે સવારે 8 થી બપોરના 12 કલાક દરમ્યાન નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

જેમાં હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા તથા લોટ મળશે, ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, ગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી આ ઉપરાંત રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ તથા રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી તેમજ ઓર્ગેનિક શાકભાજી મળશે.

- text

આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરે સૌને વેચાણ કેન્દ્રનો લાભ લેવા તેમજ નિરોગી રહીએ, પ્રકૃતિ તરફ વળીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે ઘરેથી કાપડની થેલી સાથે લાવવા યાદીમાં જણાવ્યું છે.

- text