મોરબીના ઘુનડા (સ.) ગામે 7 ઓક્ટોબરે નાટક અને કોમિક ભજવાશે

- text


મોરબી : આગામી તારીખ 7 ઓક્ટોબર ને સોમવારના રોજ ઘુનડા (સ.) ગામે જય બજરંગ યુવક મંડળ- ઘુનડા (સ.) દ્વારા નાટક અને કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાત્રે 9-30 કલાકે ગામના પાધરના ચોકમાં હિન્દનો છેલ્લો સમ્રાટ યાને કે પૃથ્વીરાજ ચૌહાણ નાટક અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક દીકરો દયારામ ભજવવામાં આવશે. તો સૌને આ નાટક અને કોમિક નિહાળવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.

- text

- text