મોરબીના ઝૂલતા પુલની બાજુમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સ્તંભ પૂજન સમારોહનું આયોજન

- text


મોરબી : મોરબીમાં ઝુલતા પુલની બાજુમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 3 ઓક્ટોબર 2024 ને ગુરુવારના રોજ સવારે 6 કલાકે સ્તંભ પૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતીય સંસ્કૃતિના રક્ષક, પોષક અને સંવર્ધક વિશ્વવંદનીય પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ અને પ્રગટ ગુરુહરિ પ.પૂ. મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી મચ્છુ નદીના તટે નિર્મણાધિન ભવ્યાતિભવ્ય શિખરબદ્ધ મંદિરના સ્તંભની પૂજનવિધિ પૂ. બ્રહ્મતીર્થસ્વામી તથા સંતોના પાવન સાનિધ્યમાં રાખવામાં આવ્યું છે. આ મહાપૂજામાં યજમાન તરીકે સેવા આપવા માટે 2,100 રૂ. યજમાન સેવા રાખવામાં આવી છે.

- text

- text