ટંકારાના વિરપર ગામે 7 ઓક્ટોબરે નાટક અને કોમિક ભજવાશે

- text


ટંકારા : વિરપર ગામે આવેલા કામધેનુ આશ્રમ ખાતે આગામી તારીખ 7 ઓક્ટોબર ને સોમવારના રોજ શ્રી ગૌ સેવા યુવક મંડળ- વિરપર દ્વારા નિરાધાર ગૌ માતાના લાભાર્થે નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિરપર ગામ સમસ્ત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહાન ધાર્મિક નાટક નળ દમયંતી યાને દમયંતીનો સ્વયંવર અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક લખણખોટો નભલો ને શ્રવણ જેવો જીવન રજૂ કરવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા માટે સૌને કામધેનું ચેરિટેબલ ટ્રસ્ટ- વિરપર દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text

- text