ટંકારાનો ડેમી -3 ડેમ જોખમી ! તાત્કાલિક ખાલી કરવા કાર્યવાહી, ખેડૂતોનો વિરોધ

- text


ડેમના દરવાજા અને સીલવે જોખમી હોવાનું એક્સપોર્ટ કમિટીના તારણ બાદ સિંચાઈ વિભાગની કાર્યવાહી

ટંકારા : ટંકારા તાલુકાના ગજડી નજીક આવેલ ડેમી -3 સિંચાઈ યોજનાના દરવાજા અને સીલવે જોખમી હોવાનો સરકારી એક્સપર્ટ કમિટીનો અભિપ્રાય આવતા આ ડેમને તાત્કાલિક ખાલી કરવા સરકારે ભલામણ કરતા સિંચાઈ વિભાગે આજથી જ ડેમ ખાલી કરવા કાર્યવાહી શરૂ કરી છે, બીજી તરફ ડેમી – 3 યોજના હેઠળ સિંચાઈનો લાભ લેતા ખેડૂતોએ ડેમ ખાલી કરવા સામે વિરોધ પ્રદર્શિત કરવા ટોળે ટોળાં ડેમ સાઇટ ખાતે એકત્રિત થઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામ નજીક આવેલ વિશાળ ડેમી -3 જળાશયના દરવાજા અને સીલવે જોખમી બન્યો હોવાથી છેલ્લા એક વર્ષથી સિંચાઈ વિભાગની એક્સપર્ટ કમિટી દ્વારા ડેમની સતત અવર નવાર મુલાકાત લઈ તાજેતરમાં આ ડેમમાં જળ સંગ્રહ કરવો હિતાવહ ન હોવાની અભિપ્રાય આપી ડેમ ખાલી કરવા સરકારે સૂચના જારી કરતા મોરબી ડેમી યોજનાના અધિકારીઓ દ્વારા ડેમ ખાલી કરવા કાર્યવાહી શરૂ કરી છે.

2002મા ડેમી -3 યોજનાનું નિર્માણ થયું હતું : અધિકારી

બીજી તરફ જિલ્લા સિંચાઈ અધિકારી પ્રેક્ષાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, ડેમી- 3 યોજના ડેમ વર્ષ 2002મા નિર્માણ થયો હતો. આ ડેમમાં 339 એમસીએફટી જળ સંગ્રહ ક્ષમતા છે. જો કે, હાલમાં સરકારની સૂચના મુજબ ડેમમા પાણીનો સંગ્રહ કરવો હિતાવહ ન હોવાનો રિપોર્ટ આવતા નિયમોનુસાર ડેમને આજે સોમવારથી ખાલી કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ડેમ ખાલી કરવા સામે ખેડૂતોનો વિરોધ

- text

ટંકારા તાલુકાના ખાનપર, ચાચાપર, કોયલી, ગજડી, રામગઢ, કૃષ્ણનગર, ખોડાપીપર, ધૂળકોટ અને આમરણને સિંચાઈનો લાભ આપતો ડેમી -3 ડેમ જર્જરિત હોવાથી સરકારે ડેમ ખાલી કરવા નિર્ણય લીધો છે ત્યારે આ ડેમનું પાણી ખાલી થઈ જાય તો ખેડૂતોને પાક બચાવો મુશ્કેલ બની જાય તેમ હોવાનું અને પીવાનું પાણી પણ તળિયા જાટક થઈ જાય તેમ હોવાથી ખેડૂતોએ ડેમ ખાલી ન કરવા માંગ ઉઠાવી ડેમ ઉપર જ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

- text