મોરબીના લીલાપર નજીક કાર સળગી ઉઠતા એકનું મોત

- text


કાર સળગ્યા બાદ કાર ચાલક બહાર જ ન નીકળી શક્યો

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર લીલાપર ગામ પાસે જ બપોરના સમયે કિયા સેલટોસ કાર અચાનક ભડભડ સળગી ઉઠતા કારમાં સવાર કાર ચાલકનું સળગી જતા મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર લીલાપર ગામ નજીક આજે બપોરના સમયે એક કિયા સેલટોસ કાર સળગી ઉઠતા કારમાં બેઠેલા કાર ચાલક અજયભાઈ નાનજીભાઈ ગોપાણી અચાનક આગ બાદ બહાર ન નીકળી શકતા કાર તેમનું ઘટના સ્થળે જ સળગી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડ બનાવ સ્થળે દોડી ગયું હતું અને બનાવ અંગે મોરબી પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

- text