- text
મોરબી : મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને ભામાશા એવા ગોવિંદભાઈ વરમોરા (સન હાર્ટ ગ્રુપ-મોરબી)ની શ્રી ઉમિયા માતાજી મંદિર- ઊંઝા સંસ્થાનના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
- text
શ્રી ઉમિયા માતાજી મંદિર- ઊંઝા સંસ્થાન ખાતે આજરોજ હોદ્દેદારોની નિમણૂક માટેની કારોબારી તથા ટ્રસ્ટીઓની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંદિરના ટ્રસ્ટી, લક્ષચંડીના મુખ્ય યજમાન, અનેક સેવાકીય કાર્ય સાથે જોડાયેલા અને મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને ભામાશા એવા ગોવિંદભાઈ વરમોરાની ઊંઝા મંદિરના ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ બનવા બદલ ગોવિંદભાઈ વરમોરાને ચોતરફથી અભિનંદન મળી રહ્યા છે.
- text