મોરબીની રાજનગર સોસાયટીમાં નવ દુર્ગા ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન 

- text


મોરબી : મોરબી શહેરના રાજનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા 45 વર્ષથી નવ દુર્ગા ગરબી મંડળ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે શેરી ગરબાની સાથે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

રાજનગર સોસાયટી વિસ્તારમાં દર વર્ષે વર્ષથી નવ દુર્ગા ગરબી મંડળ દ્વારા શેરી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં નાની બાળાઓ દ્વારા અલગ અલગ રાસ ગરબા કરી માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે. દર વર્ષે થતા આયોજનમાં આ વખતે આયોજકો દ્વારા નાની બાળાઓના રાસની સાથે માતાઓ અને બહેનો પણ ગરબામાં ભાગ લઈ શકે તે માટે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓ અને યુવતીઓ પણ રાસ લઈ માતાજીની આરાધના કરી શકશે તેમ ગરબી મંડળના આયોજક નવ દુર્ગા ગરબી મંડળ રાજનગર સોસાયટી દ્વારા આયોજન કરાયું છે.

- text

- text