મોરબીમાં પાર્ટીકલ બોર્ડના કારખાનામાં આગમાં દાઝી ગયેલ શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના રવાપર નદી ગામની સીમમાં આવેલ પાર્ટીકલ બોર્ડના કારખાનામાં કોઈ કારણોસર આગ લાગતા દાઝી ગયેલા શ્રમિકનું 9 દિવસની સારવાર બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રવાપર નદી ગામની સીમમાં આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનામાં ગત તા.14 સપ્ટેમ્બરના રોજ આગ લાગતા કારખાનામાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની કુલદીપકુમાર રામઅવતાર મૌર્ય આ આગમાં દાઝી જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.23 ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text