- text
મોરબી : મોરબીના ભરતનગર ગામે આગામી તારીખ 6 ઓક્ટોબર ને રવિવારે રાત્રે 10 કલાકે રામજી મંદિર ચોકમાં 2 મહાન નાટક ભજવવામાં આવશે. સમસ્ત ભરતનગર ગામ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ-કૃષ્ણ યુવક મંડળ દ્વારા આયોજિત જોગીદાસ ખુમાણ અને ખોરડાની ખાનદાની નાટક ભજવવામાં આવશે. સાથે જ કણી ગાંડીનો જહલો જમાઈ કોમિક રજૂ કરવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા સૌને આમંત્રણ પાઠવાયું છે.
- text
- text