ભડિયાદ ગૌશાળાના લાભાર્થે નાટક-કોમિકનો ભવ્ય કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : ભડિયાદ ગૌશાળાના નિભાવ લાભાર્થે ભડિયાદ ગૌશાળા સ્વયંસેવક કલાકાર મંડળના સહયોગથી નાટક-કોમિકનો ભવ્ય કાર્યક્રમ તારીખ 5-10-2024 ને શનિવારના રોજ રાત્રે 10 કલાકે ભડિયાદ ગરબી ચોક, ભડિયાદ ખાતે રાખવામાં આવ્યો છે.

- text

જેમાં ભવ્ય- પ્રેરણાત્મક નાટક જાલમસંગ જાડેજા યાને કે મિત્રતાની ઉદારતા નાટક રજુ કરવામાં આવશે. સાથે જ મનોરંજનના રસથાળમાં કોમિક હસીને લોટપોટ કરાવશે. ત્યારે આ નાટક નિહાળવા સમસ્ત ગામ વાસીઓ તથા પ્રજાજનોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text