આજે રાત્રે મોરબી અધ્યયન મંડળ દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે સેમિનારનું આયોજન

- text


મોરબી : અધ્યયન મંડળ મોરબી દ્વારા હિન્દુ સંવત્સર મહિનાના ચોથા ગુરુવારે સમાજ જીવનના સ્પર્શતા જુદા જુદા વિષયોને લઈને એક સેમિનારનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે તારીખ 26 સપ્ટેમ્બર ને ગુરુવારના રોજ 27મી કાર્યશાળા (સેમિનાર) મોરબીના શનિદેવના મંદિર પાછળ નવા હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે રાત્રે 9-30 કલાકે યોજાશે.

આ કાર્યશાળામાં વક્તા મહેશભાઈ બોપલિયા પુણ્ય શ્લોકા લોકમાતા અહલ્યા દેવી હોલકર પર વાતચીત કરશે. આ સેમિનારમાં અધ્યયનશીલ લોકો દ્વારા અત્યંત રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવશે. સમાજના અધ્યેતાઓને આ કાર્યક્રમમાં જોડાવવા અધ્યયન મંડળ મોરબીના સંયોજક ડો. જયેશભાઈ પનારા, સહસંયોજકો વિજયભાઈ રાવલ અને કમલેશભાઈ અંબાસણા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text