વરસાદની આગાહીને પગલે વાંકાનેર યાર્ડમાં કપાસની ઉતરાઈ બંધ કરાઈ

- text


વાંકાનેર : આગામી દિવસોમાં વરસાદની આગાહી હોય વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો માટે ખાસ સૂચના જાહેર કરવામાં આવી છે. વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીની યાદીના જણાવ્યા પ્રમાણે આજે તારીખ 26 સપ્ટેમ્બરથી નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી યાર્ડમાં કપાસની જણસીની ઉતરાઈ કરવામાં આવશે નહીં. કપાસ સિવાય તમામ જણસીની ઉતરાઈ કરવામાં આવશે. પરંતુ વરસાદની આગાહીના પગલે આજથી નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી કપાસની જણસીની ઉતરાઈ કરવામાં આવશે નહીં. ત્યારબાદ વાતાવરણ જોઈને કપાસની ઉતરાઈ અંગે નિર્ણય લેવાશે. જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવા જણાવ્યું છે.

- text

- text