- text
લખધીરવાસ વિસ્તારમાં કરેલી કાર્યવાહી
મોરબી : મોરબી શહેરમાં અનેક જર્જરિત મકાનો જોખમી બન્યા છે ત્યારે પાલિકા દ્વારા લખધીરવાસ પાસે આવેલા ભવાની ચોકમાં વર્ષો જુના બે જર્જરિત મકાન તોડી પાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ લખધીરવાસ પાસે આવેલા ભવાની ચોકમાં વર્ષો જુના બે મકાન જર્જરિત હોવા અંગેની ફરિયાદ કરવામાં આવતા ફરિયાદને ધ્યાનમાં લઈ પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા બે જોખમી જર્જરિત મકાન તોડી પાડવામાં આવ્યા હતા.
- text
- text