શનાળા – રાજપર ચોકડીએ સર્કલ બનાવવા કોંગ્રેસની માંગ

- text


મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખની મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત

મોરબી : મોરબીથી રાજકોટ જતા હાઈવે ઉપર શનાળા – રાજપર ચોકડીએ સર્કલ બનાવવા અંગે મોરબી તાલુકા સમિતિના પ્રમુખ વિજયભાઈ કોટડીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીથી રાજકોટ જતા હાઈવે ઉપર સનાળા – રાજપર ચોકડીએ અવાર-નવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેના કારણે કલાકો સુધી વાહનોની લાંબી લાઈનો લાગે છે. તેમજ આ ચોકડી પાસે સર્કલ ન હોવાને કારણે અકસ્માતો પણ સર્જાય છે. આ ચોકડી પાસે સવારે અને સાંજના સમયે વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ તથા રાહદારીઓ સમયસર જે તે સ્થળે પહોંચી શકતા નથી. જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે મોરબીથી રાજકોટ જતા હાઈવે ઉપર શનાળા – રાજપર ચોકડીએ સર્કલ બનાવવામાં આવે તે જરૂરી છે.

- text

- text