ચોટીલાના યુવાને વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો કારમાં ઝેરી દવા પી આપઘાત કર્યો

- text


વાંકાનેર : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર ગારીડા નજીક ચોટીલાના વેપારી યુવાને કોઈ અગમ્ય કારણોસર ઇકો કારમાં ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે કનૈયા હોટલ સામે રહેતા વેપારી યુવાન વિજયભાઈ રાજુભાઇ સરવૈયા ઉ.24એ પોતાની ઇકો કારમાં વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગારીડા નજીક કોઈ કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text