મોરબીના વિદ્યુતનગરના બિસમાર રોડ રસ્તાનું સમારકામ કરાવવા રજૂઆત

- text


મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા વિદ્યુતનગર-હરી પાર્કના રોડ રસ્તા છેલ્લા ઘણા સમયથી તૂટી ગયા હોય તથા વોર્ડ નંબર-3ના રોડ રસ્તાનું સમારકામ કરાવવાનું હોય આ અંગે આ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર નરેન્દ્રસિંહ જાડેજાએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં લેખિત રજૂઆત કરી છે.

નરેન્દ્રસિંહ જાડેજાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, વોર્ડ નંબર- 3માં રોડ રસ્તાની હાલત ખરાબ છે. વિદ્યુતનગર- હરી પાર્ક વિસ્તારના રોડ રસ્તા તૂટી ગયા છે. સ્ટ્રીટ લાઈટ પણ બંધ છે. આ અંગે રજૂઆત કરી હોવા છતાં કામગીરી કરવામાં આવી નથી. તો આ અંગે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

- text

- text