મોરબી સિવિલમાં પ્રસુતા બહેનોને ચોખ્ખા ઘીનો શિરો પીરસાયો

- text


જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા અવિરત ચાલતો સેવાયજ્ઞ

મોરબી : મોરબી સિવિલ હોસ્પીટલમાં જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘીનો શીરો અર્પણ કરવાનો સેવાયજ્ઞ અવિરતપણે કરવામાં આવે છે.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે. તેમજ જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે. ત્યારે મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શહેરની સિવિલ હોસ્પીટલ ખાતે પ્રસુતા માતાઓને દોશી પરીવારના સહયોગથી ચોખ્ખા ઘીનો શીરો આપવામાં આવી રહ્યો છે. આ સેવાકાર્ય અવિરતપણે જલારામ મંદિર મહિલા મંડળના બહેનો દ્વારા પ્રદાન કરવામાં આવી રહી છે..

- text

- text